26મી જાન્યુઆરી પર નિબંધ | 26 January Essay in Gujarati

Admin

ગુજરાતી ભાષામાં નિબંધ તો તમામ પરીક્ષાઓમાં વારં વાર પૂછતાં હોય છે. પણ 26મી જાન્યુઆરી પર નિબંધ (26 January Essay in Gujarati) અને 15મી ઓગસ્ટ વિશે નિબંધ (15 August Essay in Gujarati) જેવા ટોપિક ઘણા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

તો નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા બ્લોગ Learn in Gujarati માં સ્વાગત છે. આજે આપણે આપણા ખૂબ જ મહત્વપૂર્ણ એવા રાષ્ટ્રીય તહેવાર વિશે થોડા નિબંધ જોઈશું, જે તમામ વિદ્યાર્થીઓને જરૂરથી ઉપીયોગી લાગશે અને તમે આ ઉદાહરણથી પ્રેરણા મેળવી અને પોસ્ટનો સુંદર નિબંધ લખી શકશો.

આપણે ભારતીય સંકૃતિ ના અન્ય તહેવારો વિશે તો જાણીયે છીએ અને ધામ ધૂમ થી તેને દર વર્ષે ઉજવીએ પણ છીએ, પણ આ તો આપણો રાષ્ટ્રીય તહેવાર છે, જેથી આ ત્યોહાર નું મહત્વ તો આપણી માટે કૈક અલગ જ છે. આ દિવસ બધા ભારતીય લોકો માટે એક ગૌરવ નો દિવસ માનવામાં આવે છે, કારણકે આ દિવસે આપણા દેશ નું અને વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ અમલમાં આવ્યું હતું.

આ પણ જરૂર વાંચો- 15મી ઓગસ્ટ વિષે નિબંધ (15 August Essay in Gujarati)

26મી જાન્યુઆરી પર નિબંધના ઉદાહરણ (Best Example of 26 January Essay in Gujarati)

પ્રજાસત્તાક દિવસે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય જાહેર રજા હોય છે, જ્યારે આપણા દેશમાં 26 મી જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે તારીખની યાદ માં આ દિવસની ઉજવણી કરવામાં છે. આ દિવસે ભારત સરકાર અધિનિયમ (1935) ને બદલીને ભારતના સંચાલન દસ્તાવેજ તરીકે અને આમ રાષ્ટ્રને નવ રચિત પ્રજાસત્તાકમાં ફેરવામાં આવ્યું હતું.

આ દિવસ સ્વાયત્ત કોમનવેલ્થ ક્ષેત્રમાંથી બ્રિટિશ રાજા સાથે ભારતીય વર્ચસ્વના નામાંકિત વડા તરીકે, ભારતીય સંઘના નજીવા વડા તરીકે ભારતના રાષ્ટ્રપતિ સાથે સંપૂર્ણ સાર્વભૌમ આઝાદ ભારતને પણ ચિહ્નિત કરે છે. 26 નવેમ્બર 1949 ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા ભારત નું નવું બંધારણ અપનાવવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950 ના રોજ લોકશાહી સરકારી વ્યવસ્થા સાથે સમગ્ર દેશ માં અમલમાં આવ્યું હતું.

તે દિવસ ભારત નું બંધારણ અમલ માં આવ્યું, જે દેશને સ્વતંત્ર પ્રજાસત્તાક બનવા તરફ પૂર્ણ કરે છે. તે વખતે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસની તારીખ તરીકે પસંદ કરવામાં આવી હતી, કારણ કે તે 1929 આ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સૌપ્રથમ ભારતીય સ્વતંત્રતાની અથવા પૂર્ણ સ્વરાજ ની ઘોષણા કરવામાં આવી હત. આ દિવસે ભારત માં અંગ્રેજ શાશન નું સંપૂર્ણ પણે અંત આવ્યો હતો અને તે દિવસ થી ભારત એક સંપૂર્ણ આઝાદ રાષ્ટ્ર તરીકે સ્થાપિત થયું.

આ પણ જરૂર વાંચો- મહાત્મા ગાંધી વિષે નિબંધ (Mahatma Gandhi Essay in Gujarati)

200 શબ્દોનો 26મી જાન્યુઆરી વિશે ગુજરાતીમાં નિબંધ (200 Words 26 January Essay in Gujarati)

ભારતે 26 મી જાન્યુઆરી 2022 ના ​​રોજ તેનો 73 મો ગણતંત્ર દિવસ ઉજવ્યો. વર્ષ 1950 માં આ દિવસે ભારતીય બંધારણ દેશ માં લાગુ કરવામાં આવ્યું હતું. બધા ધર્મો, જાતિઓ અને સમુદાયોના લોકો એક સાથે મળીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે. આ દિવસે શાળાઓ, કોલેજો, સરકારી અને બિન-સરકારી સંસ્થાઓમાં ધ્વજાવંદન કરવામાં આવે છે.

પ્રજાસત્તાક દિવસ અપણને આપણા સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના સંઘર્ષની યાદ અપાવે છે. કેવી રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ યુવાનોની સહાયથી પૂર્ણ સ્વરાજની માંગને અંગ્રેજો સુધી પહોંચાડી હતી. તે રાષ્ટ્રીય ગૌરવનો દિવસ છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજપથ પર ભવ્ય પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિએ ત્રિરંગો ધ્વજ ફરકાવે છે. તેમને રાષ્ટ્રગીત અને ધ્વજ ફરકાવવાની સાથે 21 બંદૂકની સલામી પણ આપવામાં આવે છે. અશોક ચક્ર અને કીર્તિ ચક્ર જેવા મહત્વપૂર્ણ સન્માન આ દિવસે આપવામાં આવે છે. રાજપથ પરનો કાર્યક્રમ ભારતની વિવિધતાની એકતાને પ્રતિબિંબિત કરે છે.

પરેડમાં ભારતના ત્રણ સૈન્ય નૌકાદળ, ભૂમિસૈન્ય અને વાયુસેનાના જવાનોનો સમાવેશ થાય છે અને તે સૈન્યની તાકાત પુરા વિશ્વ્ ને બતાવે છે. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ સવારે 10:18 વાગ્યે અમલ માં આવ્યું હતું. બંધારણ અમલમાં આવ્યા પછી, આપણો દેશ ભારત પ્રજાસત્તાક બન્યું અને આના 6 મિનિટ પછી રાજેન્દ્ર પ્રસાદે સવારે 10.24 વાગ્યે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. આ દિવસે રાષ્ટ્રપતિ તરીકે પ્રથમ વખત ડો.રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ ભવનને માં રાષ્ટ્રપતિ પદ પર બેઠા.

તે બંધારણ જ ભારતની તમામ જાતિઓ અને વર્ગોના તમામ લોકોને એકતા દર્શાવે છે. ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે જે 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસમાં તૈયાર થઈ ગયું હતું. લાંબું સમય બાદ બંધારણના અમલ માટે 26 જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો, કારણ કે 1930 માં, કોંગ્રેસના અધિવેશનમાં તે જ દિવસે સંપૂર્ણ સ્વરાજ ભારત દેશ ને ઘોષિત કરવામાં આવ્યો હતો.

ત્રિરંગોની પહોળાઈનું ગુણોત્તર તેની લંબાઈ સાથે 2:3 છે. સફેદ પટ્ટા ની મધ્યમાં ઘેરો વાદળી એક ચક્ર છે. આ ચક્ર અશોકની રાજધાનીના સારનાથના સ્તંભ પર બનાવવામાં આવ્યું હતું. ભારતનું બંધારણ બનાવવામાં બે વર્ષ 11 મહિના થયા. જયારે પ્રથમ પરેડ 1955 માં પ્રજાસત્તાક દિવસે યોજવામાં આવી હતી.

આ પણ જરૂર વાંચો- વૃક્ષ બચાવો નિબંધ (Save Tree Essay in Gujarati)

26 જાન્યુઆરી વિશે ટૂંકો નિબંધ (Short 26 January Essay in Gujarati Language)

દર વર્ષે 26 જાન્યુઆરીએ સમગ્ર ભારત પ્રજાસત્તાક દિવસ ઉજવે છે કારણ કે આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. આપણે બધા તેને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવીએ છીએ અને આ દિવસને રાષ્ટ્રીય જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગાંધી જયંતિ અને સ્વતંત્રતા દિવસને રાષ્ટ્રીય રજાઓ તરીકે જાહેર કરાઈ છે. ભારતીય સંસદમાં ભારતના બંધારણના અમલીકરણ સાથે સાથે આપણો દેશ સંપૂર્ણ લોકશાહી પ્રજાસત્તાક બની ગયો.

આ મહાન દિવસે ભારતીય ત્રણેય સેના દ્વારા ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. જે સામાન્ય રીતે વિજય ચોકથી શરૂ થાય છે અને ઇન્ડિયા ગેટ પર સમાપ્ત થાય છે. આ સમય દરમિયાન રાષ્ટ્રપતિને ત્રણ ભારતીય સૈન્ય દ્વારા સલામી આપવામાં આવે છે, તેમજ સૈન્ય દ્વારા અત્યાધુનિક શસ્ત્રો અને ટાંકીનું પ્રદર્શન કરવામાં આવે છે, જે આપણી રાષ્ટ્રીય શક્તિનું પ્રતીક છે.

સેનાની પરેડ બાદ દેશના તમામ રાજ્યો તેમની સંસ્કૃતિ અને પરંપરાને એક જાખી દ્વારા રજૂ કરે છે. આ પછી, ભારતીય વાયુ સેના દ્વારા આપણા રાષ્ટ્રીય ધ્વજ ના કેસરી, સફેદ અને લીલો રંગોથી આકાશમાંથી ફૂલો વરસાવવામાં આવે છે.

આઝાદી પછી, એક મુસદ્દા સમિતિને 28 ઓગસ્ટ 1947 ના રોજ મળેલી બેઠકમાં ભારતના કાયમી બંધારણનો મુસદ્દો તૈયાર કરવા કહેવામાં આવ્યો હતો. નવેમ્બર, 1947 ના રોજ ભારતના બંધારણનો ડ્રાફ્ટ ડો.બી.આર. આંબેડકર ની અધ્યક્ષતામાં ગૃહમાં પ્રસ્તુત કરવામાં આવ્યો. આપણું બંધારણ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસમાં તૈયાર કરાયું હતું. આવી લાંબી રાહ આખરે તેની રજૂઆત સાથે 26 જાન્યુઆરી, 1950 ના રોજ સમાપ્ત થઈ.

આ દિવસે શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ પણ પરેડ, રમતગમત, નાટક, ભાષણ, નૃત્ય, ગાયન, નિબંધ લેખન, સામાજિક અભિયાનમાં, સ્વતંત્રતા સેનાનીઓની ભૂમિકા ભજવી વગેરે દ્વારા આ ઉત્સવની ઉજવણી કરે છે. આ દિવસે દરેક ભારતીયએ પોતાના દેશ ભારત ને શાંતિપૂર્ણ અને વિકસિત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. અંતે, દરેક વિદ્યાર્થી ખુશીથી મીઠાઇઓ અને નાસ્તા સાથે આ સમગ્ર કાર્યક્રમ અંત થાય છે.

આ પણ જરૂર વાંચો- 15 August Essay in Gujarati (15મી ઓગસ્ટ વિષે નિબંધ)

26 જાન્યુઆરી પર લાંબો ગુજરાતીમાં નિબંધ (Long 26 January Essay in Gujarati)

ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ, પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારતના લોકો દ્વારા ખૂબ જ આનંદ થી કરવામાં આવે છે. આ દિવસ એક લોકશાહી પ્રજાસત્તાક હોવાના મહત્વને માન આપવા માટે ઉજવવામાં આવે છે. જે 26 મી જાન્યુઆરી 1950 ના રોજ ભારતના બંધારણના અમલીકરણ પછીથી દર વર્ષે ઉજવવામાં આવે છે.

ભારત સરકાર દ્વારા આ દિવસને દેશભરમાં નેશનલ હોલીડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તે સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ દ્વારા શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવે છે.

ભારત સરકાર દર વર્ષે ભારત નું પાટનગર નવી દિલ્હીમાં કાર્યક્રમનું આયોજન કરે છે જેમાં ઇન્ડિયા ગેટ પર વિશેષ પરેડ યોજવામાં આવે છે. લોકો આ મહાન કાર્યક્રમ જોવા માટે સવાર થીજ રાજપથ ખાતે એકઠા થવાનું શરૂ કરે છે. આમાં ત્રણેય સેનાઓ વિજય ચોકથી પોતાની પરેડ શરૂ કરે છે, જેમાં શસ્ત્રો પણ પ્રદર્શિત કરવામાં આવે છે.

26 january essay in gujarati

આર્મી બેન્ડ્સ, એનસીસી કેડેટ્સ અને પોલીસ દળો વિવિધ ધૂન દ્વારા તેમની કલાની રજુવાત કરે છે. ભારત ના દરેક રાજ્યોમાં પણ રાજ્યપાલની હાજરીમાં આ ઉત્સવ ખૂબ જ અદભૂત રીતે ઉજવવામાં આવે છે.

ગણતંત્ર દિવસ ભારતમાં રાષ્ટ્રીય રજા તરીકે ઉજવવામાં આવે છે. લોકો આ મહાન દિવસને પોત પોતાની રીતે ઉજવે છે, જેમ કે સમાચાર જોવું, શાળામાં ભાષણ દ્વારા અથવા ભારતની સ્વતંત્રતા સંબંધિત સ્પર્ધામાં ભાગ લેવો વગેરે વગેરે. આ દિવસે ભારત સરકાર દ્વારા નવી દિલ્હીના રાજપથ ઉપર એક વિશાળ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જ્યાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા અને રાષ્ટ્રગીત બાદ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ ઈન્ડિયા ગેટ પર ભારતીય સેના દ્વારા પરેડ યોજવામાં આવે છે.

ભારતમાં આઝાદી પછી “વિવિધતામાં એકતા” નું અસ્તિત્વ બતાવવા માટે, દેશના વિવિધ રાજ્યો પણ તેમની સંસ્કૃતિ, પરંપરા અને પ્રગતિ લોકો સામે દર્શાવે છે. લોકો દ્વારા તેમની બાજુના લોકો દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવે છે તેમ તેમ ગાયન, નૃત્ય અને વાજિંત્રો વગાડવામાં આવે છે.

કાર્યક્રમના અંતે, એરફોર્સ દ્વારા તિરંગા ના ત્રણ રંગો અને ફૂલો વરસાવામાં આવે છે જે આકાશમાં રાષ્ટ્રધ્વજ ની એક પ્રતીતિ પ્રદર્શિત કરે છે. શાંતિ દર્શાવવા માટે કેટલાક રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડવામાં આવ્યા છે.

15 ઓગસ્ટ પર નિબંધ PDF (26 January Essay in Gujarati PDF)

અહીં બ્લોગ માં પબ્લિશ થયેલા કોઈ પણ આર્ટિકલ ને તમે આસાની થી PDF માં કન્વર્ટ કરી શકો છો, જેથી તમે આ તમામ નિબંધ ઓફલાઈન વાંચી શકો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો. આ પ્રક્રિયા સરળ બનાવવા તમારે Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. તે પછી નીચે આપેલા પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ જે પેજ ને PDF માં કન્વર્ટ કરવું છે, તેને વિઝીટ કરો.
  • ત્યારબાદ Ctrl + P બટન એક સાથે પ્રેસ કરો અથવા જમણી બાજુ સૌથી આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાં તમને Print નો ઓપશન મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ Destination ઓપશનમાં Save as PDF સિલેક્ટ કરો.
  • ત્યારબાદ સૌથી નીચે જમણી બાજુ Save બટન પર ક્લિક કરો અને પેજ ને PDF તરીકે સાચવો.
  • બસ થઈ ગયું.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

આ વર્ષે કેટલામો ગણતંત્ર દિવસ ઉજવાયો?

26 મી જાન્યુઆરી 2024 ના દિવસે ભારતે 75 મો ગણતંત્ર દિવસ ઉજવ્યો.

26મી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે છે?

1950 માં આ દિવસે ભારતીય બંધારણ દેશ માં લાગુ કરવામાં આવ્યું હતું માટે બધા ધર્મો, જાતિઓ અને સમુદાયોના લોકો એક સાથે મળીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસ ની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે?

આ દિવસે સવારમાં રાષ્ટ્રપતિ દ્વારા લાલ કિલાં પર ત્રિરંગો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવામાં આવે છે અને આ સિવાય દેશની અન્ય સરકારી કચેરી માં ધ્વજવંદન કરવામાં આવે છે.

અસ્વીકરણ (Disclaimer)

બની શકે છે કે કોઈ પણ આર્ટિકલ લખતી વખતે અમારી ટિમ દ્વારા ટાયપિંગની ભૂલ થઇ હોય શકે, તે બદલ અમે માફી માંગીએ છીએ. અને આવી ભૂલ દેખાતા અમને ત્વરિત જાણ કરો, જેથી અમે જલ્દી થી સુધારી શકીએ. આ સિવાય બ્લોગ બાબતે કોઈ પણ સૂચન આપવા અમને જરૂર થી સંપર્ક (Contact us) કરો.

સારાંશ (Summary)

અમને આશા છે કે તમને “26મી જાન્યુઆરી પર નિબંધના ઉદાહરણ (Best Example of 26 January Essay in Gujarati)” તમને જરૂર થી ઉપયોગી લાગ્યા હશે. આ નિબંધ પરીક્ષા બાબતે પણ ઘણો મહત્વપૂર્ણ છે, જેથી તમારું ધ્યાન જરૂર થી એ તરફ દોરો અને એક પોતાનો એક સુંદર નિબંધ તૈયાર કરો.

સાથે સાથે ત્વરિત અપડેટ મેળવવા માટે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ Facebook, Instagram, Pinterest and Sharechat અને YouTube પર જરૂરથી ફોલો કરો.